સંકલ્પે શિવના જનમ્યો તું ઇહ લોકમાં
કર્મ-કર્તા ભાવ નિઝરી નું વિહર મર્ત્યલોકમાં
જ્ઞાનાંજને દૃષ્ટિ ઠેરવી સહજાત્મસ્વરૂપ માંય.
ભવાંતર ભેદી સહજ ભાવથી આત્મસ્વરૂપમાં નાહ્ય.
જ્ઞાનં સ્નાનં સમર્પયામી. શુદ્ધ રૂપમાં આય.
કર્મ કદિ સ્પર્શે નહીં. નાહિંમત ન થાય
તદ્રૂપ ચિરંતન દિગંતરમાં જ વિચરાય.
દ્વૈત સઘણું અદ્વૈતમાં સંકલ્પો જ સમાય.
શુદ્ધ સંકલ્પ એક જ છે. મૂળ મંત્ર કહાય.
- દિવ્યાંગ શુક્લ
19.11.07